Tue Jan 20 2026

Logo

White Logo

બીએમસીના ચૂંટણી પરિણામ કપિલ સિબ્બલ : બીએમસીના ચૂંટણી પરિણામો મુદ્દે કપિલ સિબ્બલે એકનાથ શિંદેને આપ્યો સંદેશ

1 day ago
Author: Chandrakant Kanoja
Video

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યો છે. જેમાં બીએમસીની ચૂંટણીમાં ભાજપે કુલ 89 બેઠકો જીતી છે.  જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ 29 બેઠકો મેળવી છે. તેમજ નાયબ મુખ્યમંત્રી અજિત પવારને ફક્ત ત્રણ બેઠકો મળી છે. ત્યારે  કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે હવે આ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન જાહેર કર્યું છે. 

રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે  મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર પર નિશાન સાધતા તેમણે કહ્યું, કે, તમે ભાજપ સાથે સોદો કરીને સત્તામાં આવશો અને નાયબ મુખ્યમંત્રી પણ બનશો. પરંતુ તે પછી  તમારું ભવિષ્ય બરબાદ થઈ જશે.

મ્યુનિસિપલ ચૂંટણીઓમાં બધા પક્ષોને નુકસાન થયું 

તેમણે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં બધા પક્ષોને નુકસાન થયું છે. જેમાં ફક્ત ભાજપને ફાયદો થયો છે. ભાજપની રણનીતિ પહેલા નજીક અને પછી વનવાસની રહી છે. જે રાજ્યોમાં ભાજપ માને છે કે તે નબળી છે  તેને વધારે મત મળશે નહીં અને તે ચૂંટણી જીતી શકશે નહીં ત્યાં તે બધા નાના પક્ષો સાથે જોડાણ કરે છે. તેમજ  જ્યારે તે સત્તામાં આવે છે  ત્યારે તે નાના  પક્ષોને હાંસિયામાં ધકેલી દે છે.

અજિત પવારને આ ચૂંટણીમાં ફક્ત નુકસાન થયું

કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા કપિલ સિબ્બલે કહ્યું, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને જુઓ તેમણે  પરિણામો પછી તેમના કાઉન્સિલરોને હોટલમાં રાખવા પડ્યા કારણ કે તેઓ જાણતા હતા કે ભાજપ તેમને તોડીને ખરીદી લેશે. તેમજ અજિત પવાર કોઈ એક પક્ષ સાથે જોડાયેલા રહ્યા નહીં અને મ્યુનિસિપલ ચૂંટણીમાં ફક્ત ત્રણ બેઠકો પર સમેટાઈ ગયા. અજિત પવારને આ ચૂંટણીમાં ફક્ત નુકસાન થયું અને તેમનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે. 

ભાજપ ફક્ત પોતાનો ફાયદો જોવે છે

તેમણે કહ્યું કે ભાજપ ફક્ત પોતાનો ફાયદો જોવે છે.  વિપક્ષને આ સંકેત આપવો જોઈએ કે જો તેઓ ભાજપ સાથે સમાધાન કરશે તો તેઓ સત્તામાં આવશે  નાયબ મુખ્યમંત્રી પણ બનશે.પરંતુ તેમનું ભવિષ્ય બરબાદ થઈ જશે.