મુંબઈ: આજે સવારે બારામતીમાં પ્રાઈવેટ જેટ પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના વડા અજીત પવારનું અવસાન નીપજ્યું હતું. વિમાનમાં સવાર 2 સરકારી કર્મચારીઓ અને 2 ક્રૂ મેમ્બર્સના પણ મોત નીપજ્યા છે.
દિગ્ગજ નેતા અજીત પવારનું અકાળે અવસાન થતાં મહારાષ્ટ્ર ઉપરાંત દેશભરના રાજકારણમાં આઘાતની લાગણી છે. વિવિધ પક્ષોના રાજકીય નેતાઓ શોક વ્યક્ત કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ શોક વ્યક્ત કર્યો:
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અજીત પવારના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે અને પરિવારજનો સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દ્રૌપદી મુર્મુએ લખ્યું, “મહારાષ્ટ્રના બારામતી બનેલી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન શ્રી અજિત પવાર સહિત કેટલાક લોકોના મૃત્યુના સમાચાર ખૂબ જ આઘાતજનક છે. અજિત પવારનું અકાળે અવસાન થતા પૂરી ન થઇ શકે એવી ખોટ સર્જાઈ છે. મહારાષ્ટ્રના વિકાસમાં, ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં, તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.”
દ્રૌપદી મુર્મુએ અજીત પવારના સમર્થકો અને પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા લખ્યું, “હું તેમના પરિવાર, સમર્થકો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારોને પણ દુખ સહન કરવાની શક્તિ આપે.”
महाराष्ट्र के बारामती में एक विमान दुर्घटना में महाराष्ट्र के उप मुख्यमंत्री, श्री अजित पवार समेत कई लोगों की मृत्यु का समाचार अत्यंत दुखद है। अजित पवार जी का असामयिक निधन एक अपूरणीय क्षति है। उन्हें महाराष्ट्र के विकास में, विशेषकर सहकारी क्षेत्र में, विशेष योगदान के लिए सदैव…
— President of India (@rashtrapatibhvn) January 28, 2026
વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું:
ભારતના વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું, “મહારાષ્ટ્રના બારામતીમાં બનેલી વિમાન દુર્ઘટનાના સમાચારથી દુઃખી છું. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદનાઓ. આ દુઃખના સમયે શોકગ્રસ્ત પરિવારો માટે શક્તિ અને હિંમત માટે પ્રાર્થના કરું છું.”
Shri Ajit Pawar Ji was a leader of the people, having a strong grassroots level connect. He was widely respected as a hardworking personality at the forefront of serving the people of Maharashtra. His understanding of administrative matters and passion for empowering the poor and… pic.twitter.com/mdgwwGzw4R
— Narendra Modi (@narendramodi) January 28, 2026
અન્ય એક પોસ્ટમાં વડાપ્રધાન મોદીએ અજીત પવાર સાથે પોતાના ફોટો શેર કરતા લખ્યું, “અજિત પવારજી લોકોનેતા હતા, જેમનો પાયાના સ્તરે લોકો સાથે જોડાયેલા હતાં. તેઓ મહારાષ્ટ્રના લોકોની સેવામાં મોખરે રહેલા, એક મહેનતુ વ્યક્તિત્વ તરીકે તેમને હંમેશા સન્માન મળતું હતું. વહીવટી બાબતોની તેમની સમજ અને ગરીબો અને દલિતોને સશક્ત બનાવવાનો જુસ્સો પ્રસંશાને પાત્ર છે. તેમનું અકાળ અવસાન ખૂબ જ આઘાતજનક અને દુઃખદ છે. તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”