Fri Apr 17 2026

Logo

મહિલા અનામત મુદ્દે વોટિંગ પહેલા સાંસદોને પીએમ મોદીએ શું કરી અપીલ?

2026-04-17 15:07:00
Author: Mayurkumar Patel
Article Image

નવી દિલ્હીઃ લોકસભામાં આજે બીજા દિવસે પણ મહિલા અનામત લાગુ કરવા માટે બેઠકોના સીમાંકન સંબંધિત ત્રણ સંશોધિત બિલ પર ચર્ચા થઈ રહી છે. બિલ પર સાંજે 4 વાગ્યે મતદાન થશે. બિલ રજૂ થવા પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. 

પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું કે હું તમામ સાંસદોને ખાસ અનુરોધ કરીશ કે તમારા ઘરમાં માતા-દીકરી-પત્ની સૌને યાદ કરીને તમારા અંતરાત્માનો અવાજ સાંભળજો. દેશની નારીશક્તિની સેવા અને તેમને વંદન કરવાનો મોટો અવસર છે અને આ નવા અવસરથી તેમને વંચિત રાખશો નહીં.

સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટમાં તેમણે આ સિવાય લખ્યું કે, સંસદમાં હાલ નારીશક્તિ વંદન અધિનિયમમાં સુધારા પર ચર્ચા ચાલી રહી છે. કાલે રાત્રે એક વાગ્યા સુધી ચર્ચા ચાલી હતી. બિલને લઈ જે ભ્રમ ફેલવવામાં આવ્યો હતો તેને દૂર કરવા તર્કબદ્ધ જવાબ આપવામાં આવ્યો છે. જાણકારીના અભાવે જે કંઈ ભ્રમ હતો તેને દૂર કરવામાં આવ્યો છે. જેના મનમાં જે પણ પ્રશ્ન હતો તેનું સમાધાન થયું છે.

મહિલા અનામત મુદ્દે વોટિંગ પહેલા સાંસદોને પીએમ મોદીએ શું કરી અપીલ? નવી દિલ્હીઃ લોકસભામાં આજે બીજા દિવસે પણ મહિલા અનામત લાગુ કરવા માટે બેઠકોના સીમાંકન સંબંધિત ત્રણ સંશોધિત બિલ પર ચર્ચા થઈ રહી છે. બિલ પર સાંજે 4 વાગ્યે મતદાન થશે. બિલ રજૂ થવા પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું કે હું તમામ સાંસદોને ખાસ અનુરોધ કરીશ કે તમારા ઘરમાં માતા-દીકરી-પત્ની સૌને યાદ કરીને તમારા અંતરાત્માનો અવાજ સાંભળજો. દેશની નારીશક્તિની સેવા અને તેમને વંદન કરવાનો મોટો અવસર છે અને આ નવા અવસરથી તેમને વંચિત રાખશો નહીં. સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટમાં તેમણે આ સિવાય લખ્યું કે, સંસદમાં હાલ નારીશક્તિ વંદન અધિનિયમમાં સુધારા પર ચર્ચા ચાલી રહી છે. કાલે રાત્રે એક વાગ્યા સુધી ચર્ચા ચાલી હતી. બિલને લઈ જે ભ્રમ ફેલવવામાં આવ્યો હતો તેને દૂર કરવા તર્કબદ્ધ જવાબ આપવામાં આવ્યો છે. જાણકારીના અભાવે જે કંઈ ભ્રમ હતો તેને દૂર કરવામાં આવ્યો છે. જેના મનમાં જે પણ પ્રશ્ન હતો તેનું સમાધાન થયું છે.

પોસ્ટમાં તેમણે આગળ લખ્યું છે કે, મહિલા અનામતના આ વિષય પર દેશમાં ચાર દાયકા સુધી ખૂબ રાજનીતિ કરવામાં આવી છે. દેશની અડધી વસતીને તેનો અધિકાર મળે તેવો સમય આવી ગયો છે. આઝાદીના આટલા દાયકા બાદ પણ ભારતમાં મહિલાઓને નિર્ણય પ્રક્રિયામાં ઓછું પ્રતિનિધિત્વ મળે તે ઠીક નથી. થોડા સમયમાં જ મતદાન થવાનું છે. હું તમામ રાજકીય પક્ષોને સમજી વિચારીને, પૂરી સંવેદનશીલાતથી નિર્ણય લેવાની અપીલ કરું છું. મહિલા અનામતના પક્ષમાં મતદાન કરો. આ ઉપરાંત પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું છે કે, જો સુધારો સહમતિથી પસાર થશે તો દેશની નારીશક્તિ વધુ સશક્ત થશે. દેશનું લોકતંત્ર વધુ સશકત થશે. આવો આજે મળીને ઈતિહાસ રચીએ. ભારતની નારીને દેશની અડધી વસ્તી તેનો હક આપીએ.

મહિલા અનામત મુદ્દે વોટિંગ પહેલા સાંસદોને પીએમ મોદીએ શું કરી અપીલ? નવી દિલ્હીઃ લોકસભામાં આજે બીજા દિવસે પણ મહિલા અનામત લાગુ કરવા માટે બેઠકોના સીમાંકન સંબંધિત ત્રણ સંશોધિત બિલ પર ચર્ચા થઈ રહી છે. બિલ પર સાંજે 4 વાગ્યે મતદાન થશે. બિલ રજૂ થવા પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું કે હું તમામ સાંસદોને ખાસ અનુરોધ કરીશ કે તમારા ઘરમાં માતા-દીકરી-પત્ની સૌને યાદ કરીને તમારા અંતરાત્માનો અવાજ સાંભળજો. દેશની નારીશક્તિની સેવા અને તેમને વંદન કરવાનો મોટો અવસર છે અને આ નવા અવસરથી તેમને વંચિત રાખશો નહીં. સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટમાં તેમણે આ સિવાય લખ્યું કે, સંસદમાં હાલ નારીશક્તિ વંદન અધિનિયમમાં સુધારા પર ચર્ચા ચાલી રહી છે. કાલે રાત્રે એક વાગ્યા સુધી ચર્ચા ચાલી હતી. બિલને લઈ જે ભ્રમ ફેલવવામાં આવ્યો હતો તેને દૂર કરવા તર્કબદ્ધ જવાબ આપવામાં આવ્યો છે. જાણકારીના અભાવે જે કંઈ ભ્રમ હતો તેને દૂર કરવામાં આવ્યો છે. જેના મનમાં જે પણ પ્રશ્ન હતો તેનું સમાધાન થયું છે. પોસ્ટમાં તેમણે આગળ લખ્યું છે કે, મહિલા અનામતના આ વિષય પર દેશમાં ચાર દાયકા સુધી ખૂબ રાજનીતિ કરવામાં આવી છે. દેશની અડધી વસતીને તેનો અધિકાર મળે તેવો સમય આવી ગયો છે. આઝાદીના આટલા દાયકા બાદ પણ ભારતમાં મહિલાઓને નિર્ણય પ્રક્રિયામાં ઓછું પ્રતિનિધિત્વ મળે તે ઠીક નથી. થોડા સમયમાં જ મતદાન થવાનું છે. હું તમામ રાજકીય પક્ષોને સમજી વિચારીને, પૂરી સંવેદનશીલાતથી નિર્ણય લેવાની અપીલ કરું છું. મહિલા અનામતના પક્ષમાં મતદાન કરો. આ ઉપરાંત પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું છે કે, જો સુધારો સહમતિથી પસાર થશે તો દેશની નારીશક્તિ વધુ સશક્ત થશે. દેશનું લોકતંત્ર વધુ સશકત થશે. આવો આજે મળીને ઈતિહાસ રચીએ. ભારતની નારીને દેશની અડધી વસ્તી તેનો હક આપીએ.

પોસ્ટમાં તેમણે આગળ લખ્યું છે કે, મહિલા અનામતના આ વિષય પર દેશમાં ચાર દાયકા સુધી ખૂબ રાજનીતિ કરવામાં આવી છે. દેશની અડધી વસતીને તેનો અધિકાર મળે તેવો સમય આવી ગયો છે. આઝાદીના આટલા દાયકા બાદ પણ ભારતમાં મહિલાઓને નિર્ણય પ્રક્રિયામાં ઓછું પ્રતિનિધિત્વ મળે તે ઠીક નથી. થોડા સમયમાં જ મતદાન થવાનું છે. હું તમામ રાજકીય પક્ષોને  સમજી વિચારીને, પૂરી સંવેદનશીલાતથી નિર્ણય લેવાની અપીલ કરું છું. મહિલા અનામતના પક્ષમાં મતદાન કરો. 

આ ઉપરાંત પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું છે કે, જો સુધારો સહમતિથી પસાર થશે તો દેશની નારીશક્તિ વધુ સશક્ત થશે. દેશનું લોકતંત્ર વધુ સશકત થશે. આવો આજે મળીને ઈતિહાસ રચીએ. ભારતની નારીને દેશની અડધી વસ્તી તેનો હક આપીએ.