Sat Apr 25 2026

Logo

કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારે અનુસૂચિત જાતિ માટે આંતરિક અનામતને મંજૂરી આપી

2026-04-24 21:59:20
Author: Chandrakant Kanoja
Article Image

બેંગલોર: કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારે અનુસૂચિત જાતિ માટે આંતરિક અનામતને મંજૂરી આપી છે. જેમાં હાલ ઉપલબ્ધ 15 ટકા અનામત ત્રણ જૂથોમાં વહેંચવામાં આવી છે. જેમાં સિદ્ધારમૈયા સરકારે  કેબિનેટ બેઠકમાં અનુસૂચિત જાતિઓ માટે આંતરિક અનામતને લીલી ઝંડી આપી છે.આ આંતરિક અનામતને લાગુ કરવા માટે, અનુસૂચિત જાતિના સમુદાયોને ત્રણ જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.જેમાં દરેકને અલગ અનામત ક્વોટા ફાળવવામાં આવ્યા છે.

દલિત ડાબેરી, દલિત જમણેરી અને અન્ય શ્રેણીમાં વિભાજીત 

આ અંગે જાહેરાત કરતા  સીએમ સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે કર્ણાટક સરકારે અનુસૂચિત જાતિ માટે ઉપલબ્ધ 15 ટકા અનામતને પેટા-વર્ગીકરણ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર 5.25 ટકા અનામત દલિત ડાબેરી સમુદાયને, 5.25 ટકા દલિત જમણેરી સમુદાયને અને 4.5 ટકા અનુસૂચિત જાતિ શ્રેણીમાં અન્ય જૂથોને ફાળવવામાં આવી છે.

પાર્ટી સામાજિક ન્યાય માટે પ્રતિબદ્ધ

કર્ણાટક  કેબિનેટની ખાસ બેઠક બાદ  મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, આંતરિક અનામત કર્ણાટકના લોકો માટે - ખાસ કરીને SC સમુદાય માટે  અને દરેક માટે એક સંદેશ છે.  અમારી પાર્ટી સામાજિક ન્યાય માટે પ્રતિબદ્ધ છે, અને એવા નિર્ણયો લેવા જોઈએ જે બધા સમુદાયો માટે ન્યાય સુનિશ્ચિત કરે.

અનુસૂચિત જાતિ સમુદાયનું વર્ગીકરણ 

ડાબેરી અનુસૂચિત સમુદાય જૂથમાં માદિગા સમુદાય અને તેની પેટા-જાતિઓનું વર્ચસ્વ છે. જેઓ પરંપરાગત રીતે ચામડાના કામ સાથે સંકળાયેલા છે.

જમણેરી અનુસૂચિત  સમુદાયમાં  જૂથમાં મુખ્યત્વે હોલેય/ચાલવાડી સમુદાયના સભ્યોનો સમાવેશ થાય છે, જેઓ પરંપરાગત રીતે કૃષિ મજૂરીમાં રોકાયેલા છે.

ટચેબલ અનુસૂચિત  સમુદાયમાં લંબાણી, બોવી, કોર્મા અને કોરચા જેવા જૂથો - જે ડાબેરી અને જમણેરી સમુદાયોની બહાર આવે છે.તેમને 'ટચેબલ અનુસૂચિત  જાતિ ગણવામાં આવે છે.