જામનગરના રાજવી પરિવારનાં રાજકુંવરીબા હર્ષદકુંવરીબાનું નિધન
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જામનગરના રાજવી પરિવારનાં રાજકુંવરીબા હર્ષદકુંવરીબાનું અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થતાં શોકનો માહોલ છવાયો છે. હર્ષદકુંવરીબાની તબિયત લથડ્યા બાદ સારવાર માટે અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.
જામનગરના રાજવી પરિવારના જામસાહેબ શત્રુશલ્યસિંહજીનાં મોટાં બહેન હર્ષદકુંવરીબાનું લાંબી બીમારી બાદ અવસાન થતાં રાજવી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. રાજવી પરિવારનાં હર્ષદકુંવરીબા ઘણા લાંબા સમયથી બીમાર હતાં. મલ્ટીઓર્ગન ફેલ્યોરને કારણે તેમને સારવાર માટે અમદાવાદની અપોલો હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જયાં સારવાર દરમિયાન શુક્રવારે સવારે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. હર્ષદકુંવરીબાના નિધનથી જામનગરના રાજવી પરિવાર તથા નિકટનાં વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.
તેઓ સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ સક્રિય હતાં. ઐતિહાસિક વારસાનું જતન કરતી સંસ્થા ઇન્ટેક સાથે તેઓ વરસોથી સંકળાયેલાં રહ્યાં હતાં.
આ ઉપરાંત જામનગરના શિક્ષણક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનાર સત્યસાંઇ શૈક્ષણિક સંસ્થામાં પણ તેઓ કર્તાહર્તા હતાં. શિક્ષણ અને ધરોહરની જાળવણી માટે તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. તેમના નિધનથી સમગ્ર સત્યસાંઈ પરિવારમાં શોકની લાગણી પ્રસરી
ગઈ હતી. ઉ